મોરબી: ગુજરાતભરમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.પાણીની સતત આવકના કારણે મચ્છુ-2ના દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણી છોડવાના કારણે નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી મોરબી જિલ્લા માટે પણ કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વધુ વરસાદના કારણે સ્થાનિક જળાશયો પણ ઓવરફ્લો થઈ ગયા હતા. જેથી કરીને મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે મગફળી અને કપાસ સહિતના જે પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું છે તેમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાની થયેલી છે.
સૌરાષ્ટ્રના મોરબીમાં પણ ભારે વરસાદને પગલે મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમમાં વરસાદી પાણીનું પ્રમાણ સતત વધી રહયું છે. પાણીની સતત આવકના કારણે દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણી છોડવાના કારણે નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે.
વીર વિદરકાના ગ્રામજનોએ વાત કરતા જણાવ્યું હતું કે, “અમારા ગામની છેલ્લા ત્રણ દિવસથી આ જ હાલત છે. વરસાદી પાણીના કારણે ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. મચ્છુ માંથી પાણી છોડવાના કારણે ખેતરોમાંથી 2200 વિઘા મોલ પાક બળી ગયો છે. જમીન પણ ધોવાઈ ગઈ છે અને જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચ્યું છે. વર્ષ 2017માં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી.”
મોરબીના આ ગામમાં ત્રણ દિવસથી વીજ-પુરવઠો ન હોવાના કારણે લોકોએ રાંધ્યું પણ નથી અને જમ્યા પણ નથી. પાણીના કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. ઢોર-ઢાખર પણ રઝળી પડ્યા છે. આ સાથે જ મોટા મોટા ઝેરી જીવજંતુઓ નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મચ્છુના પાણીએ એ હદે નુકસાન પહોંચાડ્યું છે કે, ગામના રસ્તા પણ ધોવાઈ ગયા છે અને મોટા મોટા ગાબડાં પડી ગયા છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી છે
મોરબીમાં મચ્છુના પાણીએ સર્જી તબાહી: ગ્રામજનો ત્રણ દિવસથી ભૂખ્યા
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.478 અને ચાંદીમાં રૂ.144ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.25 સુધર્યું
ઉસના ચોખામાંથી નિકાસ ડ્યુટી હટાવી, કેન્દ્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું - કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ વધારવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી : ચોખાની નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઉસના ...
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ગુંડારાજ: યુવકનું અપહરણ કરીને માર માર્યો, પોલીસની કામગીરી પર સવાલ
અમદાવાદ :અમદાવાદ શહેરમાં અસામ...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article