વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા શહેરમાં પાણી પૂરું પડતું નહીં રહે

વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા શહેરમાં પાણી પૂરું પડતું નહીં રહે

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે શટડાઉનમાં ફેરફાર થતા આ કામ હવે તા. 5 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

પાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, 1354 મીમીની નર્મદા પાઇપલાઇન રાયકા દોડકા ખાતે જોડવાની કામગીરીના કારણે તા. 5 ઓગસ્ટે શહેરના અડધા વિસ્તારમાં પીવાનું પાણી મળવા પાત્ર નહીં હોય.

પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, આ શટડાઉન જરૂરી કામગીરીના ભાગરૂપે લેવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી જાણ કરવામાં આવી છે જેથી લોકો જરૂરી પાણીનું સંગ્રહ કરી શકે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow