દાદરમાં કચ્છી અને ગુજરાતી સાહિત્ય માટે લખતાં પ્રતિષ્ઠિત અને નવોદિત કવિઓ, સાહિત્યકારોનો ભવ્ય મેળાવડો યોજાયો

દાદરમાં કચ્છી અને ગુજરાતી સાહિત્ય માટે લખતાં પ્રતિષ્ઠિત અને નવોદિત કવિઓ, સાહિત્યકારોનો ભવ્ય મેળાવડો યોજાયો
કચ્છી અને ગુજરાતી સાહિત્ય માટે લખતાં પ્રતિષ્ઠિત અને નવોદિત કવિઓ, સાહિત્યકારો

મુંબઈઃ દાદર-ઈસ્ટ ખાતે કચ્છી અને ગુજરાતી સાહિત્ય માટે લખતાં પ્રતિષ્ઠિત અને નવોદિત એવાં લગભગ 45 જેટલાં કવિઓ સહિત સાહિત્યકારોનો એક મેળાવડો 23 ઓગસ્ટના રોજ બપોરે 2 થી 5 દરમિયાન યોજવામાં આવ્યો હતો.

આ મેળાવડામાં અનેક પ્રતિષ્ઠિત અને નવોદિત કવિઓએ પોતાની રચનાઓ રસપ્રદ રીતે રજૂ કરી હતી. તેમ જ કચ્છી ભાષાના સંવર્ધન માટે ભવિષ્યમાં નવતર કાર્યક્રમો દ્વારા જાગૃતિ લાવવાનો સંકલ્પ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માટે જવેરબહેન મલ્લેશા પરિવારનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મનીષા વીરા 'મન', દિવ્યા દેઢિયા 'દિવ્ય', હરેશ ગડા 'જવાન', અને નેહા શાહ 'નેહ' એ ભારે મહેનત કરી હતી. આ મેળાવડામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આનંદ મેળવ્યો હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow