અમદાવાદ : માંગરોળ દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામસભત વિશ્વકર્મા અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરની ટ્રેનમાંથી પકડાયો છે. આ આરોપી ટ્રેનમાં રાજસ્થાન જઈ રહ્યો હતો. હવે આરોપીને અમદાવાદથી સુરત લઇ જવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. એ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતાં ત્યાં પહોંચી હતી. પરંતુ ત્રણેય આરોપીએ ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન આરોપી મુન્ના કરબલી પાસવાન અંધારામાં ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઇએ તેના પર પિસ્તોલ તાકી દીધી હતી. આમ છતાં આરોપી ભાગી રહ્યો હતો, જેથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને તેમાં તે માત્ર 5 ફૂટથી બચી ગયો. આજે ત્રીજા આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી ફરાર હતો જેને પકડવા માટે 300 પોલીસ કર્મીઓ તપાસ કરી રહ્યા હતા.ત્રીજા આરોપી રાજુને જિલ્લા એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબજો લેવા અમદાવાદ રવાના થઈ છે.
આ અંગે એલસીબી પીઆઈ રાજેશ ભટોલે જણાવ્યું હતું કે, માંગરોળ દુષ્કર્મ કેસનો વોન્ડેટ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ-અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળતા આ માહિતી રેલવે એલસીબીને કરતા રેલવે એલસીબી પીઆઈ હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી સ્ટેશન ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે અને આરોપીને સુરત ખાતે લાવવાની તજવીજ ચાલુ છે.
ગઈકાલે પોલીસની પૂછપરછમાં શ્વાસની તકલીફ થતા આરોપી શિવશંકરને હોસ્પિટલ ખસેડાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આજે તેના મૃતદેહની ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડો. ચંદ્રેશ ટેલરની અધ્યક્ષતામાં 5 એક્સપર્ટ ટીમ દ્વારા પીએમ શરૂ કરવામાં આવ્યું છે. વીડિયોગ્રાફી સાથે પીએમ કરવામાં આવી રહ્યું છે. પેનલ પીએમમાં ચાર કલાકનો સમય લાગી શકે છે.
આ 3 આરોપી પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. ત્યાર બાદ 10 ઓક્ટોબરે બપોર બાદ શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતા સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જ્યારે મુન્નાની બરાબરની 'ટ્રીટમેન્ટ' થઈ હોવાથી ત્રણ પોલીસકર્મીએ ઊંચકીને કોર્ટમાં લઈ જવો પડ્યો હતો.
માંગરોળ દુષ્કર્મ કેસમાં ત્રીજો વોન્ટેડ આરોપી ઝડપાયો, રાજસ્થાન ભાગવાનો હતો પ્લાન - મુંબઈ-અજમેર ટ્રેનમાં બેસી રાજસ્થાન ભાગે એ પહેલાં અમદાવાદ સાબરમતી સ્ટેશનથી ઝડપ્યો
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્તાહ' નું શરૂ કરશે
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવ...
આયુષ્માન ભારત, દેશવાસીઓના સ્વાસ્થ્ય માટેના ઉકેલો આપવાનું ચાલુ રાખશેઃ અમિત શાહ
નવી દિલ્હી:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, સોમવારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય ય...
નેપાળ: પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 200ને પાર, ડઝન બંધ લોકો ગુમ
કાઠમંડુ : નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 200ને વટાવી ગયો છ...
Stay Connected
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું પલડું ભારે : કોઈ પણ સમયે કામ કરવા માટે જાણીતા શિવાભાઇ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની ...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહી...
Previous
Article