માલેગાવ વોટ જીહાદ ફંડિંગ કેસમાં ઈડીના દરોડા 13 કરોડ રોકડા જપ્ત કર્યા: ઇડીએ અત્યાર સુધીમાં એક હજાર કરોડના બેનામી ટ્રાન્જેક્શન શોધી કાઢ્યા

મુંબઈ: મરાઠી મુસ્લિમ સેવા સંઘ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના સંદર્ભમાં મુંબઈ અમદાવાદ સહિત ઈડી દ્વારા વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા, જેમાં 13 કરોડ રૂપિયાની રકમ શુક્રવારે સીઝ કરી હતી. ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની ફરિયાદ ના આધારે ચૂંટણી પંચે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ હતી.
ગયા મહિને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન, ભાજપના નેતાએ વોટ જેહાદ ઓપરેશન હોવાનો દાવો કર્યો હતો તે ભંડોળ માટે હિંદુ યુવાનોના બેંક ખાતાના દુરુપયોગ અંગેના આરોપો મૂક્યા હતા. તેમણે આ બાબત અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં ફરિયાદ નોંધાવી હતી અને કેન્દ્રીય એજન્સીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રૂ. 125 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ કરતી અનેક જગ્યાઓ પર શોધખોળ કરવા જણાવ્યું હતું. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં 18 નવેમ્બરના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950,1951,1989ની કલમ 125 હેઠળ મરાઠી મુસ્લિમ સેવા સંઘના ફકીર મોહમ્મદ ઠાકુરની સામે કિરીટ સોમૈયાની ફરિયાદ નોધી છે.
What's Your Reaction?






