વિરાર- વિરાર-વેસ્ટમાં આવેલાં વિવા કોલેજ વિસ્તારમાં ગણપિત કુટીર ઈમારતમાં રહે છે. આ ગાલા દંપતિને સંતાન નથી. કિશોર ગાલાની 49 વર્ષની પત્ની મનીષા ગાલાનું મંગળવારે સવારે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. મનીષા ગાલાના આકસ્મિક અવસાનથી પરિવાર પર ભારે આઘાતમાં આવી ગયો હતો. પરંતુ, આ આઘાતને દુર કરીને પણ કિશોર ગાલાએ અન્યોનું જીવન પ્રકાશમય થાય એ માટે સમાજલક્ષી નિર્ણય લઈને દેહદાન કર્યું હતું. અંગદાનની પ્રક્રિયા માટે ધ ફેડરેશન ઓફ ઓર્ગન એન્ડ બોડી ડોનેશનના સ્થાપક પુરુષોત્તમ પવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ વિશે ધ ફેડરેશન ઓફ ઓર્ગન એન્ડ બોડી ડોનેશનના સ્થાપક પુરુષોત્તમ પવારે કહયું હતું કે ‘પરિવારે આવી મુશ્કેલ પળો વચ્ચે પણ સમાજને મદદરૂપ બનાવ વિચાર્યું હતું. ગાલા પરિવારના સભ્યોને અંગદાન વિશે સમજણ પણ પુરી પાડી હતી એથી પરિવારે નેત્રદાન, ત્વચાનું દાન અને આખા શરીરનું દાન કરવાનો નિર્ણય લીધા બાદ સમય વેડફ્યા વગર તરત બધી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મુંબઈની નાયર હોસ્પિટલમાં લક્ષ્મણ ધુરી, ડૉ. સ્નેહા અને ડો. યુવરાજ ભોસલેની મદદથી દેહદાનની સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. નાલાસોપારાની રિદ્ધિવિનાયક હોસ્પિટલમાં નેત્રદાન કરવામાં આવ્યું હતું. દેહ મુક્તિ મિશન વસઈના કાર્યકર સાગર વાઘની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડો. નિકમ, ડૉ. અવધેશ અને તેમની ટીમે નેત્રદાન સ્વીકાર્યું હતું અને તેને સુરક્ષિત રીતે થાણેમાં આવેલી કોર્નિયા સહિયારા આઈ બેન્ક પહોંચાડી દીધી છે. આ નેત્રદાનને કારણે આગામી 36 કલાકમાં ઓછામાં ઓછા બે અંધ લોકોને દૃષ્ટિનો લાભ મળશે. તેમ જ ઐરોલી ખાતે નેશનલ બર્ન સેન્ટરમાં ત્વચા દાનની પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ગાલા પરિવારનો આ નિર્ણય સમાજ માટે વિચાર કરવો એ પળે અઘરો હોય છે. પરંતુ, મૃત્યુ પછી પણ આપણે ઘણા લોકોને નવું જીવન આપી શકીશું એવો સેવાભાવી વિચાર સમાજને પ્રેરણા આપશે.’
આ વિશે પતિ કિશોર ગાલાએ ‘ધ જર્નલિસ્ટ’ કહયું હતું કે ‘મારી મમ્મીની આંખો મેં ડોનેટ કરી હતી અને પપ્પાની આંખો કોવિડના કારણે ડોનેટ કરી શક્યો નહોતો. પરંતુ, મારા અવયવો દાન કરવા મેં મનિષાને કહયું હતું પરંતુ નસીબે મને તેના અવયવો દાન કર્યા છે. જીવતા તો આપણે લોકોને મદદરૂપ થવાના પ્રયત્નો કરતાં હોઈએ છીએ પરંતુ મૃત્યુ બાદ શરીર રાખ થાય એના કરતાં તે ઉપયોગી પડે એ જરૂરી છે.’
દુઃખમાં પણ સમાજકલ્યાણ માટે કચ્છી પરિવારનો અંગદાનનો નિર્ણય: વિરારમાં કચ્છી મહિલાનું દેહ દાન સહિત ત્વચા, નેત્રદાન કરતાં અનેક લોકોને નવજીવન મળ્યું
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
જ્યારે પોલીસ કાકાએ રડતાં બાળકની સાયકલ શોધી કાઢી: આ કેસ ઉકેલતાં 13 અન્ય ચોરાયેલી સાયકલ પણ મળી આવી
15 વર્ષના ત્રણ સ્કૂલના બાળકો રડતા-રડતા વિરારના બોલિંજ પોલીસ મથક પહોંચ્યા હતા. પોલીસ કા...
માલેગાવ વોટ જીહાદ ફંડિંગ કેસમાં ઈડીના દરોડા 13 કરોડ રોકડા જપ્ત કર્યા: ઇડીએ અત્યાર સુધીમાં એક હજાર કરોડના બેનામી ટ્રાન્જેક્શન શોધી કાઢ્યા
મુંબઈ: મરાઠી મુસ્લિમ સેવા સંઘ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના સંદર...
મુંબઈ: વાનરે પોલીસે બાળ તસ્કરીના ગેંગનો ભાંડોફોડ કરીને 38 દિવસના બાળકને બચાવ્યો
મુંબઈ: વાનરે પોલીસે એક બાળ તસ્કરીના ગેં...
Previous
Article