વડોદરા/અમદાવાદ:વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ધરખમ વધારો થવાની શરુઆત થતાં જ વડોદરામાં ફરી પૂરસંકટ તોળાઇ રહ્યું છે.વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી 1 ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું છે.ધીમે ધીમે નદીની સપાટી વધી રહી છે.આજે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શહેરમાં આજે સવારથી વરસાદ નથી વરસ્યો, આ સાથે ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે કે, વિશ્વામિત્ર નદીનું જળસ્તર સ્થિર થયું છે. મોટાભાગનું પાણી આવી ગયું છે, ઉપરવાસ અને વડોદરામાં વરસાદ બંધ થયો છે. ગ્રામ્ય વિસ્તારોનું મોટાભાગનું પાણી આવી ગયું છે. એટલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવામાં છે. હાલ 25 ફૂટે વિશ્વામિત્રી હોવાથી નીચાણવાળા વિસ્તારોને હજુ પણ સતર્ક રહેવાનું કહું છું.
વડોદરાના આજવા ડેમની સપાટી વધીને 213.26 ફૂટે પહોંચી છે. આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે. વડસર, પરશુરામ ભઠ્ઠા, જલારામ નગર, કમાટીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ગઈકાલે સાંજથી વડોદરામાં વરસાદ વરસ્યો નથી છતાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં ચોમાસું વિદાય લે તે પહેલા જ વડોદરામાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે પૂરની આપદામાંથી બેઠા થઈ રહેલા વડોદરાવાસીઓના માથે ફરીવાર પૂરનું સંકટ ઘેરાયું છે. રવિવારે શહેરમાં બે કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સાથે છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. આ સાથે વડોદરાની વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધીને 25 ફૂટ પર પહોંચી છે. નોંધનીય છે કે, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી એક જ ફૂટ દૂર છે.
વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરાવાસીઓમાં પૂરનું સંકટ
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
અમિત શાહે ચાણક્યપુરી ખાતેથી, નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદ:ગુજરાતના પ્રવાસે પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીન...
અંબાજી - દાંતા વચ્ચે ત્રીશુલિયા ઘાટા માં લક્ઝરી બસ પલ્ટી,3 મોત 52 ઘાયલ.મુસાફરો કઠલાલ ના હતા
અંબાજી : અંબાજી -દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ...
અમેરિકાએ ગાઝા પર ઇઝરાયેલને ચેતવણી આપી; નેતન્યાહૂએ કહ્યું- નિર્ણય રાષ્ટ્રીય હિતો પર આધારિત હશે
વોશિંગટન : અમેરિકા દ્વારા ઇઝરાઇલને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ગ...
ગુજરાત હાઇકોર્ટની 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી
અમદાવાદ :ગુજરાતમાં લોકો જ્યારે દિવાળી પર્વ મનાવી રહ્યા છે અને કોર્ટો આ...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article