મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતી દ્વારા બંધના એલાનનો પડધો : સોમવારે સવારે રાજ્ય સરકારે વ્યાપારીઓ સાથે યોજી અર્જન્ટ મિટિગ

મુંબઇ:મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતી દ્વારા તેમની પડતર સમસ્યાઓને લઇને મંગળવાર 27 ઓગષ્ટ્રના એક દિવસની હડતાલની જાહેરાત પછી, રાજ્ય સરકર વ્પારીઓની સમસ્યાઓ નિવારવા સફાળી જાગી છે, આ અનુસંધાને કુતિ સમિતીએ શનિવારની તેમની મિટિગમાં જાહેર કરેલી સમસ્યાઓ સરકાર સમક્ષ મુકી છે, તેના અનુસધાને સોમવારે સવારે 11 કલાકે અર્જન્ટ મિટિગ રાજ્યના ઉપ મુંખ્યમંત્રી દેવેન્દ્ ફડણવીશના અધ્યક્ષ સ્થાને તેમજ સંબધીત સરકારના અધિકારીઓ સાથે મુંબઈમાં સહ્યાદી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવી છે, આ મિટિગમાં નવી મુંબઈ ગ્રોમાના પ્રમુખ ભીમજી ભાનુશાળી, ફામના અધ્યક્ષ જીતેન્દ્ર શાહ, પુના મરચન્ટ ચેમ્બરના અધ્યક્ષ રાયયકુમાર નાહર, કેમીટના અધ્યક્ષ દિપેન અગ્રવાલ, કૃતી સમિતિના કન્વીનર રાજેન્દ્ર ભાતીયા અને મુંબઇ એપીએમસીના સંચાલક નીલેશ વિરા હાજર રહેશે.
What's Your Reaction?






