સોમનાથ/અમદાવાદ :12 જ્યોતિર્લિંગમાંના પ્રસિદ્ધ જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક આજે વહેલી સવારથી પ્રશાસન દ્વારા સોમનાથનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, સોમનાથ મંદિર નજીક ત્રણથી વધુ જેટલાં ધાર્મિક સ્થળો સહિતનાં અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતનાં સાધનો સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઈતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યાં છે. શહેરમાં શાંતિ બની રહે એ માટે જોડિયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઇન્ટો પર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.
ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસનાં ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતાં મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા. બાદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝડિયા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત સહિત ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર ત્રણ જિલ્લાનો 1200 જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત તહેનાત કરી કામગીરી શરૂ કરાવી હતી.
આજે સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં 30 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સહિતનાં સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે 70થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરી વેળાએ વહીવટી રેવન્યુ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા છે.
આ ડિમોલિશનની કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સવારથી જ દબાણોવાળાં સ્થળને ચારેય તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યાં હતાં, જેમાં ભીડિયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બન્ને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર-ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસ સ્ટાફ તહેનાત કરીને લોકોની અને વાહનોની અવરજવર બંધ કરાવી છે. વેરાવળ-સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.
સોમનાથમાં સૌથી મોટું ડિમોલિશન, ધાર્મિક સ્થળો સહિતનાં દબાણો દૂર કરવાની શરૂઆત,70 લોકોની અટકાયત
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
અનામત મુદ્દે માયાવતીએ, રાહુલ ગાંધીને ઘેર્યા
લખનૌ, નવી દિલ્હી:બહુજન સમાજ પાર્ટી બસપાના સુપ્રીમો માયાવતીએ આજે કહ...
વડાપ્રધાનના આયુર્વેદને લોકલ ટુ ગ્લોબલ બનાવવાના સંનિષ્ઠ પ્રયાસોને કારણે આજે જામનગરનું આઇ.ટી.આર.એ. આયુર્વેદનું આરાધનાલય બન્યું
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ...
Stay Connected
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું પલડું ભારે : કોઈ પણ સમયે કામ કરવા માટે જાણીતા શિવાભાઇ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની ...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહી...
Previous
Article