વસઈ: વસઈ-વિરારમાં કબૂતરોની વધતી સંખ્યા અને તેના કારણે ફેલાતા રોગો એ ગંભીર સમસ્યા બની ગઈ છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ પ્રશાસન દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી અથવા ઉપાય ન કરવાને કારણે નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. આ વિશે મળેલી માહિતી મુજબ, નવઘર મણિકપુર વિભાગના અંબાડી રોડ પર આવેલી મહાપાલિકા કાર્યાલય સામે જ ચણા વેચનારાઓ કબૂતરોને ચણા અને અન્ય વસ્તુઓ ખવડાવતા દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યલાય સામે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલુ છે, અને સ્થાનિક નાગરિકો પણ આ પક્ષીઓને ખવડાવી રહ્યા છે. હવે આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવો જરૂરી બની ગયો છે. અહીં હજારો કબૂતરોએ પોતાનું વાસ બનાવ્યું છે, જેના કારણે સ્કાયવોક કબૂતરના માળથી ભરાઈ ગયો છે. અહીંથી પસાર થતા લોકો, વાહનો અને પાર્ક કરેલા વાહનો પણ આ માળથી પ્રદૂષિત થઈ રહ્યા છે, જેના કારણે ગંભીર રોગો ફેલાવાનો ખતરો વધ્યો છે. કબૂતરની માળના કારણે હિસ્ટોપ્લાઝમોસિસ, કેન્ડિડિયાસિસ, અને ક્રિપ્ટોકોકોસિસ જેવા ફેફસાના ગંભીર રોગો ફેલાય છે, જે પછીથી કેન્દ્રિય નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ડોકટરોના મતે, કબૂતરની માળ અને પાંખ સાથેના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી માનવ આરોગ્ય પર ગંભીર જોખમ ઉભું થઈ શકે છે. તાજેતરની કેસ સ્ટડી દર્શાવે છે કે કબૂતરને ખવડાવવું અને તેના નજીક રહેવું માનવ આરોગ્ય માટે એક મોટું જોખમ બની શકે છે. તજજ્ઞોના મતે, કબૂતરની માળમાં ફૂગ અને બેક્ટેરિયા હોય છે, જે માનવ આરોગ્યને નુકસાન પોંચાડી શકે છે. કબૂતરની માળથી રાઇનાઇટિસ, ત્વચા એલર્જી, આંખમાં લાલાશ, અને સાઇનસાઇટિસ જેવા રોગો થવાની શક્યતા હોય છે. જો સમયસર આ રોગોનું નિદાન અને સારવાર ન થાય તો શ્વસન માર્ગના ગંભીર રોગો થઈ શકે છે. અમુક વર્ષો પહેલા, મ્યુનિસિપલ પ્રશાસન દ્વારા આ વિસ્તારમાં પક્ષીઓને ખવડાવવું નહીં તેવા બોર્ડ લગાવ્યા હતા, જે હવે ગાયબ થઈ ગયા છે. સૌથી પહેલા અહીંના ચણા વેપારીઓ પર કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે. આ મુદ્દે ‘H’ વિભાગ સમિતિના સહાયક કમિશનર મનોજ વનમાળી સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે ખાતરી આપી કે આ સમસ્યાને તરત જ પગલા ભરવામાં આવશે અને સંબંધિત વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
કબૂતરોના વધતા કબજોને કારણે નવઘર વિસ્તારમાં આરોગ્ય સંકટ, પાલિકા પ્રશાસન બેદરકાર
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
મલાડમાં દિપક મોરેને તમામ સમાજના મતદોરોમાંથી ઉમળાકાભેર સમર્થન: ત્રિપાખીયા જંગમાં શિવસેના(યુબીટી)ના ઉમેદવારનું પલડું ભારે જોવા મળ્યું
મુંબઈ: 08 : મુંબઈ મહાપાલિકાના વોર્ડ ક્રમાંક 35માં આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જ...
ટોરેસ જ્વેલરી પોન્જી ઘોટાળો: 43 કર્મચારીઓએ કંપનીની ખોટી યોજનાઓમાં રોકાણ કરી ₹3.23 કરોડ ગુમાવ્યા
મુંબઇ: મુંબઇ પોલીસનો દાવો છ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026:
મીરા-ભાઈંદરના વિકાસ માટે સંકલ્પ સભાનું આયોજન
ભાઈંદરઃ મીરા-ભાઈંદર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય નરેન્દ્ર લાલચંદ મહે...
Previous
Article